ગુજરાતની મુલાકાતે આવેલા 15માં નાણાંપંચ વિશે થોડું જાણીએ.

  • તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા 15માં કેન્દ્રીય નાણાંપંચ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપરાંત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ગાંધીનગર  ખાતે એક બેઠક યોજાઇ હતી.
  • આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 15માં કેન્દ્રીય નાણાંપંચ સમક્ષ ગુજરાતના આર્થિક સામાજિક વિકાસ તથા દેશના વિકાસમાં ગુજરાત સરકારના પ્રો-એક્ટિવ યોગદાન અંગે માહિતી આપી હતી અને આ નાણાંપંચને કેટલાક અગત્યના સૂચનો પણ કર્યા હતા.
  • આ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે-
  • દેશની કુલ જનસંખ્યાના 5 ટકા(%) આબાદી ધરાવતું ગુજરાત નેશનલ GDPમાં 7.6 ટકાનું યોગદાન આપે છે
  • ભારતના આર્થિક સર્વેક્ષણના 2017-18ના  અહેવાલો અનુસાર સેવાઓ અને વસ્તુઓની નિકાસમાં 17 ટકા  યોગદાન ગુજરાતે આપ્યું છે
  • ગુજરાત રેવન્યુ સર પ્લસ રાજ્ય છે.
  • 2016-17 દરમ્યાન ગુજરાતની ફિસ્કલ  ડેફિસીટ ઘટીને GSDP (Gross State Domestic Product)ના 1.42 ટકા થઈ ગઈ છે
-: મુખ્યમંત્રીશ્રીના સૂચનો :- 

  • મુખ્યમંત્રીશ્રી એ 15માં નાણાંપંચ સમક્ષ રાજ્યોને પરફોર્મન્સ બેઇઝડ પ્રોત્સાહન આપવાની બાબત  પંચના માપદંડમાં આવરી લેવા માટે અનુરોધ કર્યો હતો.
  • આ ઉપરાંત તેમણે નાણાંપંચને રાજ્યોની મહેસૂલી આવક અને ખર્ચની જવાબદારીઓ વચ્ચેના પ્રવર્તમાન અસંતુલન પર વિચાર કરવાનો પણ અનુરોધ કર્યો હતો.
  • શહેરી ક્ષેત્રોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને સેવાઓમાં ગુણવત્તા માટે શહેરીકરણ સંદર્ભના માપદંડો સમાવિષ્ટ કરવાનું પણ તેમણે જણાવ્યું હતું.
-: 15મુ કેન્દ્રીય નાણાપંચ :-
  • ભારતમાં 15માં કેન્દ્રીય નાણાપંચની રચના 27 નવેમ્બર 2017ના રોજ કરવામાં આવી હતી.
  • 15માં નાણાપંચના અધ્યક્ષ શ્રી નંદ કિશોર સિંઘ (એન.કે.સિંઘ) છે.
  • આ નાણાપંચના ફૂલ ટાઈમ સભ્યોમાં શ્રી શક્તિકાંતા દાસ અને શ્રી અનૂપ સિંઘ નો સમાવેશ થાય છે.
  • જ્યારે ડૉ. અશોક લાહિરી અને ડૉ. રમેશ ચાંદ આ નાણાંપંચના પાર્ટ ટાઈમ સભ્યો છે.
ક્ર્મ
નામ
વિશેષતા
1
શ્રી નંદ કિશોર સિંઘ
અધ્યક્ષ
2
શ્રી શક્તિકાંતા દાસ
ફુલટાઇમ સભ્ય
3
શ્રી અનૂપ સિંઘ
ફુલટાઇમ સભ્ય
4
ડૉ. અશોક લાહિરી
પાર્ટટાઈમ સભ્ય
5
ડૉ. રમેશ ચાંદ
પાર્ટટાઈમ સભ્ય
  • નોંધ:-
  • 1 એપ્રિલ 2020થી શરૂ થતા પાંચ નાણાકીય વર્ષ માટે ભલામણો કરવા આ નાણાંપંચની રચના કરવામાં આવી છે.
  • 15મું કેન્દ્રીય નાણાંપંચ 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2025 સુધીના સમયગાળા માટે ભલામણ કરશે.
  • નાણાપંચના મુખ્યકાર્યો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની ફાળવણી, કો-ઓપેરેટીવ ફેડરાલિઝમ(સહકારી સંઘવાદ)ને વધુ મજબૂત બનાવવો, જાહેર ખર્ચની ગુણવત્તામાં સુધારો કરવો અને નાણાકીય સ્થિરતા જાળવવામાં સહાયતા કરવી..વગેરે જેવા કાર્યોનો સમાવેશ થાય છે.
  • -: ભારતમાં કેન્દ્રીય નાણાંપંચ :-
  • ભારતીય બંધારણના અનુચ્છેદ 280 અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દર 5 વર્ષે નાણાંપંચની રચના કરવામાં આવે છે.
  • આ અંતર્ગત 22 નવેમ્બર 1951ના રોજ ભારતમાં પ્રથમ નાણાંપંચની રચના કરવામાં આવી હતી.
  • ભારતના પ્રથમ નાણાંપંચના અધ્યક્ષ કે.સી.નિયોગી હતા.

-: ભારતમાં નાણાંપંચ :-

ક્ર્મ
રચના
અધ્યક્ષ
કયા સમયગાળા 
માટે ભલામણ કરવા રચના ?
પ્રથમ
1951
શ્રી કે.સી.નિયોગી
1952-57
14મું
2013
ડૉ. વાય.વી.રેડ્ડી
2015-20
15મું
2017
શ્રી નંદ કિશોર સિંઘ
2020-25

-: 14માં નાણાંપંચની ભલામણો :-
  1. ડૉ. વાય.વી.રેડ્ડીની અધ્યક્ષતામાં બનેલા 14માં નાણાંપંચની ભલામણોમાંથી મુખ્ય ભલામણો નીચે મુજબ છે.
  2. શેર કરી શકાય તેવા કેન્દ્રીય કરની ચોખ્ખી આવકમાં રાજ્યોનો હિસ્સો 42% હોવો જોઈએ.
  3. રેવન્યુ ખાદ્યમાં ક્રમશઃ ઘટાડો કરીને તેને દૂર કરવી.
  4. 2017-18 સુધીમાં રાજકોષીય ખાદ્ય GDPના 3% સુધી ઘટાડવી.
  5. કેન્દ્ર રાજ્યના સંયુક્ત દેવા માટે GDPના 62%નું લક્ષ્ય.
  6. ભારતમાં GST અમલમાં લાવવા માટે કેન્દ્ર અને રાજ્યોએ 'Grand Bargain' કરીને ચોક્કસ નિષ્કર્ષ પર આવવું જોઈએ.
  7. રાજ્યોએ વીજ ખાદ્યની સમસ્યાનો ચોક્કસ સમય મર્યાદામાં ઉકેલ લાવવો જોઈએ.

Comments

Popular posts from this blog

Mangadh: A hidden history of India

ગુજરાતના ખેલાડીઓ અને તેમની રમત