Current affairs of this week

  • આર્થીક અપરાધો રોકવા માટે. 'ભાગેડુ આર્થિક અપરાધી બીલ - 2018'ને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી.
જે લોકો કરોડો ની લૉન લઇ ને વિદેશ જતા રહેતા તેઓ આ બીલ મુજબ હવે નહીં બચી શકે.

  • વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ ચીન ના નેનજીંગ  ખાતે આયોજન થયું હતું. 

આ ચેમ્પિયનશીપમાં માં ફાઇનલ પી.વી. સિંધુ અને કેરોલીના મારીન  વચ્ચે રમાયો હતો.
સ્પેન ની કેરોલીના મારિને ગોલ્ડ મેડલ જીત્યો.
જ્યારે ભારત ની પી.વી સિંધુસિલ્વર મેડલ જીત્યો.

  • ભારતીય ગગનજીત ભુલ્લરે ગોલ્ફ માટે નું ફીજી ઇન્ટરનેશનલ ટાઇટલ જીત્યું.
  • રાજ્ય ની મહિલા ઓ માટે તત્કાલ સુરક્ષા અને તત્કાલ મદદ માટે કામ કરતી અભયમ 181 ને સુધારા સાથે વિજયભાઈ રૂપાણી એ એપ લોન્ચ કરી.
  • 6 ઓગસ્ટ હિરોશીમા દિવસ જાપાન ના હિરોશીમા શહેર પર અમેરિકા6 ઓગષ્ટ 1945 ના રોજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વ માં પ્રથમ વાર અણુબોમ્બ નો હુમલો કર્યો.
 આ હુમલા માં 1.4 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આ બૉમ્બ નું નામ લિટલ બૉમ્બ હતું.
  • 7 ઓગસ્ટ રવીન્દ્રનાથ ટાગોર નો નિર્વાણ દિવસ.
1913 માં તેમને ગીતાજલી માટે સાહિત્ય નો નોબેલ પુરષ્કાર મળ્યો હતો.
તેમણે ભારત અને બાંગ્લાદેશ  બને ના રાષ્ટ્રગીત લખેલા છે.
  • મહિલા હોકી વિશ્વકપ 2018 નો ખિતાબ નેધરલેન્ડ આઠમી વાર જીત્યું.
હોકી વિશ્વકપ ઇંગ્લેન્ડ ના લંડન ખાતે રમાયો.
ફાઇનલ નેધરલેન્ડ - આયર્લેન્ડ વચ્ચે રમાયો હતો.
  • ઉત્તરપ્રદેશ  ના મુઘલસરાઈ રેલવે સ્ટેશન નું નામ બદલી ને દીન દયાળ ઉપાધ્યાય જંકશન રેલ્વે સ્ટેશન નામ અપાયું.
  • દેવભૂમી દ્વારકા જિલ્લા માં કાનાનું કામ દૂધ નું દાન નામ યોજનાનો શુભારંભ વિજયભાઈ રૂપાણી દ્વારા કરાયેલ છે.
 આ યોજના મુખ્યત્વે કુપોષિત બાળકો ને દૂધ પોહચડવાની છે.
  •  નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે દેશ ના 29 જેટલા મોડેલ ગામડા પસંદ કરવામાં આવ્યા હતા.જેમાં ગુજરાત નું ખંભાળિયા નું કેસોદ ગામ મોડેલ ગામ તરીકે પસંદગી પામ્યું.
  • 08 ઓગસ્ટ 1942ના દિવસે મહાત્મા ગાંધી દ્વારા 'ભારત છોડો આંદોલન' ની શરૂઆત થઈ હતી.
આ આંદોલન દરમ્યાન ગાંધીજી એ 'કરો યા મરો' સૂત્ર આપ્યું હતું.
ગાંધીજી ના નામ પરથી દેશમાં 53 માર્ગો આવેલા છે.અને વિદેશ માં 48 માર્ગો આવેલા છે.
  • 8 ઓગસ્ટ : ગુજરાતી રંગ ભૂમિ ના પિતા રણછોડરામ ઉદયરામ દવે નો જન્મ દિવસ.
તેઓ નો જન્મ 1837 માં  ખેડા જિલ્લા ના મહુધા ખાતે થયો હતો.
હરિશ્ચંદ્ર, નળ દમયંતી ,જેવા પ્રખ્યાત નાટકો આપ્યા.
  • તામિલનાડુ ના પૂર્વ મુખ્યમંત્રી એમ.કરુણાનિધિ નું નિધન.
પુરૂ નામ : મુથુવેલ કરુણાનિધિ.
તેઓ ચશ્માં ના શોખીન હતા.
ભારત ની સૌથી જૂની પ્રાદેશિક રાજકીય પાર્ટી (DMK) દ્રવિડ મુનેત્રા કઝગમ સાથે જોડાયેલા હતા.
  • સુપ્રીમ કોર્ટ માં પેહલી વખત કોઈ ત્રણ મહિલા જજ ની નિમણુંક કરાયી.
1) ઇન્દિરા બેનરજી, 2) વિનીત સરન ,3) એમ.જોસેફ
સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મહિલા જજ તરીકે ફાતિમા બીવી એ શપથ લીધા હતા.*
  • ભારતીય સ્પેસ એજેન્સી ISRO દ્વારા GSAT -11 સેટેલાઇટ યુરોપિયન દેશ ફ્રાંસ ના ગુયાન ખાતે થી લોન્ચ કરાશે.
આ સેટેલાઈટ અત્યાર સુધી નું સૌથી ભારે સેટેલાઇટ હશે. જેનું વજન 5.7 ટન હશે.
મુખ્ય ઉદ્દેશ : દેશમાં ઇન્ટરનેટ ની સ્પીડ માં સુધારો લાવવા માટે.

  • ભારત અને થાઈલેન્ડ વચ્ચે સયુંકત મિલિટરી કવાયત શરૂ થયું.
આ કવાયત નું નામ અપાયું મૈત્રી- 2018.
  • 9 ઓગષ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ
યુએન દ્વારા 1993 ના વર્ષ ને આંતરરાષ્ટ્રીય આદિવાસી વર્ષ તરીકે ઉજવાયું હતું.
  • દુનિયાની સૌથી શક્તિશાળી મહિલા તરીકે ઓસ્ટ્રેલિયા ની વેઇટલીફ્ટર 'લેહ હોલેન્ડ' ને જાહેર કરાઇ.
  • ભારતીય પુરાવા અધિનિયમ - 1872 માંથી વારંવાર પુછાતા પોઇન્ટ્સ.
(1)સરતપાસ (2) ઉલટતપાસ (3)ફેરતપાસ :-

કોન્સ્ટેબલ , પી.એસ.આઈ ની પરીક્ષા માં પુછાતી આ ત્રણેય તપાસ. પોલીસ અધિકારી કે પોલીસ ડિપાર્ટમેન્ટ ની કાર્યવાહી નથી. પરંતુ તે કોર્ટ(ન્યાયાલય) ની કાર્યવાહી છે.
જેમાં આરોપી પક્ષ અને પીડિત પક્ષ બન્ને પાસેથી સરકારી અથવા ખાનગી વકીલો કોર્ટના સાક્ષી રહેલ વ્યક્તિ ને બોક્સ માં પૂછપરછ કરે છે.આમ આ આરોપી, સાક્ષી, વગેરે અને વકીલ વચ્ચે ની કાર્યવાહી જેને સરતપાશ, ઉલટતપાસ,ફેરતપાશ, હોઈ છે.
  1. સર તપાસ : કોઈ પણ કોર્ટ(ન્યાયાલય) કેશ ની સુનવણી અથવા કાર્યવાહી ચાલુ થાય ત્યારે આરોપી પક્ષ અથવા પીડિત :  પક્ષની સરકારી વકીલ કે ખાનગીવકીલ જે  પૂછપરછ કરે છે તેને સર તપાસ કહેવાય છે. સરતપાશ માં સાક્ષી,આરોપી ના નામ ,એડ્રેશ, બાયોડેટા, જેવી માહિતી વિશે પૂછપરછ થાય છે.
  2. ઉલટતપાસ : સરતપાસ થઈ ગયા બાદ જ્યારે કોઈ વકીલ સાક્ષી બોક્સ માં રહેલી વ્યક્તિ ને  બચાવ માટે દલીલો, પૂછપરછ ચાલુ કરે છે. તે ઉલટ તપાસ કહેવાય છે.
  3. ફેર તપાસ : સર તપાસ, ઉલટ તપાસ, થઈ ગયા બાદ પણ જયારે કોઈ કથન, હકીકત બાકી રહી જાતિ હોઈ તે દર્શાવવવા માટે મેજીસ્ટ્રેટ ની પરવાનગી બાદ જે પૂછપરછ થાઇ તેને ફેર તપાસ કહેવાય.
ત્રણેય તપાસ નો પ્રક્રિયા મુજબ ક્રમ
(1) સર તપાસ
 (2)ઉલટ તપાસ
(3)ફેર તપાસ
  • 10 ઓગષ્ટ - આંતરાષ્ટ્રીય સિંહ દિવસ.
  •  રાજ્યસભા ના ઉપસભાપતિ તરીકે હરિવંશ સિંહ ચૂંટાયા.
તેઓ જદયુ પાર્ટી (JDU)ના છે.
હરિસિંહે પી.જે.કુરિયન નું સ્થાન લીધું.
રાજ્યસભા ના અધ્યક્ષ હંમેશા ઉપરાષ્ટ્રપતિ જ હોઈ છે. હાલ વૈક્યાં નાયડુ છે.
  • રાજેન્દ્ર મેનન : દિલ્હી હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા.
  • 9- ઓગષ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી  દિવસ નિમિત્તે તાપી ખાતે ઉજવણી વખતે વિજય ભાઈ રૂપાણી એ  રાજપીપળા માં 100 કરોડ ના ખર્ચે આદિવાસી મ્યુઝીયમ બનાવવાની જાહેરાત કરી.
  • માનવ સંશાધન મંત્રાલય દ્વારા  ' SWAYAM' પરિયોજના ની શરૂઆત કરાઇ.
ઉદ્દેશ : દેશમાં દરેક વિદ્યાર્થીને સસ્તી કિંમત પર સર્વોત્તમ શિક્ષણ મળે.
'SWAYAM'  - સ્ટડી વેબ્સ ઓફ એકટીવ લર્નિંગ ફોર યંગ એસ્પ્રિંગ માઈન્ડ.
  • 📌 11 ઓગષ્ટ - ગુજરાત મોરબી જળ હોનારત ની 39 મી વર્ષગાંઠ.
મોરબી માં 1979 વર્ષ ના ઓગસ્ટ મહિના માં સતત દશ દિવસ સુધી 25 ઇંચ જેટલો વરસાદ પડે છે.અને 11 ઓગસ્ટ ના રોજ મચ્છુ નદી પર  આવેલ મચ્છું -2 ડેમ નો માટી નો પાળો તૂટી જતા મોરબી શહેર અને તેની આજુ બાજુ ના વિસ્તાર માં પાણી ફરિવર્યું હતું. જેથી આશરે 1400 જેટલા લોકો નું મૃત્યુ થયું હતું.
1979 માં હોનારત વખતે ગુજરાત ના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ હતા.
  • ભારતીય આઝાદીની લડાઇ ના સૌથી યુવાન શહીદ ખુદીરામ બોઝને 11 ઓગસ્ટ 1908માં 18 વર્ષ ની ઉંમરે ફાંસી આપવામાં આવી હતી. 
 બિહારના મૂજફરપુરમાં બૉમ્બ હુમલામાં તેમને દોષિત ઠરતા 1908 ના 11 ઓગસ્ટ ના રોજ તેમને ફાંસી અપાય હતી.
  • ભારતના આંદમાન અને નિકોબાર ટાપુ (કેન્દ્ર શાસિત પ્રદેશ) ના - 29 ટાપુઓને વિદેશી મુલાકાતી ઓ માટે પ્રતિબંધીત વિસ્તાર માંથી બહાર કઢાયા.
  • કેન્દ્ર સરકાર નું સૌથી સફળ સંસદ સત્ર તરીકે આ વખત નું મોનસૂન સત્ર જાહેર.
ટોટલ  - 18 બેઠક મળી હતી.
ટોટલ - 22 બિલો રજૂ કર્યા હતા.
22 બિલો માંથી 21 બિલો પાસ થયા.
  • એશિયાઈ રમોત્સવ - 2018 માં ઓપનિંગ સમારોહ ભારતીય ધ્વજ વાહક તરીકે નીરજ ચોપડા ભાગ લેશે.
તેઓ ભાલાફેંક માટે ના ખેલાડી છે.
એશિયાઈ રમોત્સવ - 2018 ઇન્ડોનેશિયા ના જકાર્તા અને પાલેમબાંગ ખાતે યોજાશે.
  • 📌12 ઓગસ્ટ 1919 ડૉ.વિક્રમભાઈ સારાભાઈ નો જન્મદિવસ.
તેઓ ભારતીય અવકાશ કાર્યક્રમ ના પિતા તરીકે ઓળખાય છે.
P.R.L , અટીરા ,ઈસરો, IIM , જેવી લગભગ 30 જેટલી મહત્વ ની સંસ્થાઓ ના સ્થાપક વિક્રમભાઈ સારાભાઈ છે.
તેઓ એ કાસ્મિક કિરણો ની શોધ કરી હતી.
તેમના પત્ની જાણીતા નૃત્યકાર : મૃણાલિની સારાભાઈ હતા.

  • 12 ઓગષ્ટ(1922) ગુજરાતી સાહિત્યકાર ચુનીલાલ મડિયા નો જન્મદિવસ.
◆પુરૂ નામ : ચુનીલાલ કાળીદાસ મડિયા.
◆ મુખ્ય કૃતિઓ : વ્યાજ નો વારસદાર, લીલુડી ધરતી, શરણાઈના શૂર, ગામડું બોલે છે.
  • સુરત માં સૌર ઊર્જાથી અગ્નિ સંસ્કાર અપાશે.
સૌર ઊર્જા થી ચાલતું સ્મશાન બનશે.
  • વાયબ્રન્ટ સમિટ - 2019 શેપિંગ અ ન્યુ ઇન્ડિયા ની થીમ પર યોજાશે.
વાયબ્રન્ટ સમિટ ગુજરાત ના ગાંધીનગર ખાતે 18 થી 20 જાન્યુઆરી 2019 માં યોજાશે. 
  • કેરળ માં પડેલ મુશળધાર વરસાદ ને લીધે નુકશાનને પહોંચી વળવા કેરળ સરકારને મદદ માટે ભારતીય નેવી દ્વારા 'ઓપરેશન  મદદ' શરૂ કરવામાં આવ્યું.
  • સંસ્કૃતી મંત્રાલય દ્વારા - 'પ્રતિબંધિત સાહિત્ય મેરા સ્વતંત્રતા સંગ્રામ'નું આયોજન  દિલ્હી ખાતે કરાયું.
  • ભારતીય મૂળ ના હાલ લંડન સ્થિત નોબેલ પુરષ્કાર વિજેતા વી.એસ.નાયપોલ નું અવસાન.
પુરૂ નામ : વિદ્યાધર સૂરજપ્રશાદ નાયપોલ
તેઓ ને 2001માં સાહિત્ય માટે નું નોબેલ પારિતોષિક મળ્યું હતું.
  • ગુજરાતમાં વોટર એરોડ્રોમ બનાવવા નાગરિક અને ઉડ્ડયન મંત્રાલય દ્વારા મંજૂરી મળી.
ગુજરાત ના સરદાર સરોવર, સાબરમતી,નદી પર ટૂંક સમયમાં સી- પ્લેન ઉડતા જોવા મળશે.
આ ઉપરાંત ઓડિશા ના ચિલકા સરોવર માં પણ મંજુરી અપાઈ.


  • પસંદ આવે તો share કરવું.

Comments

Popular posts from this blog

ગુજરાતની મુલાકાતે આવેલા 15માં નાણાંપંચ વિશે થોડું જાણીએ.

Mangadh: A hidden history of India

ગુજરાતના ખેલાડીઓ અને તેમની રમત