કાન્હાનું કામ, દૂધનું દાન યોજના, અસમમાં NRC ડ્રાફ્ટ, WHOની 500 પ્રદૂષિત શહેરોની યાદી, RBI મોનિટરી પોલિસી, ફિલ્ડ્સ એવોર્ડ, Passport Index,The Ramon Magsaysay Award વિશે ખૂબ જ અગત્યની માહિતી.

💢 અસમમાં NRCનો ફાઇનલ ડ્રાફ્ટ જાહેર 
  • 30જુલાઈ,2018ના રોજ અસમમાં NRCનો ફાઇનલ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે.
  • આ અંતર્ગત આ ડ્રાફ્ટમાં આસામના 2કરોડ 89લાખ 83હજાર 677 લોકોને આસામના કાયદેસરના નાગરિક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
  • જ્યારે 40લાખ 07હજાર 707 લોકોની નાગરિકતાને ગેરકાયદે જાહેર કરવામાં આવી છે.
  • જોકે આ ડ્રાફ્ટમાં જે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેઓ ફોરનર્સ ટ્રીબ્યુનલને પોતાની ફરિયાદ કરી શકે છે.
NRC શુ છે?
  • NRCનું પૂરું નામ 'નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સ' (National Register Of Citizens) છે. NRC એ રાજ્યના નાગરિકોની એક યાદી છે.
  • તાજેતરમાં અસમમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓનો દેશનિકાલ કરવા માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
  • આ અંતર્ગત આસામમાં વસવાટ કરતા ગેરકાયદે બાંગ્લાદેશીઓની ઓળખ કરવા માટે NRCની એક યાદી તૈયાર કરવામાં આવી છે.
  • અસમમાં રાજ્યના નાગરિકો દ્વારા પોતાની નાગરિકતા સાબિત કરવા NRCની યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા. જેમાં તેમણે એ સાબિત કરવાનું હતું કે તેઓ અથવા તેમના પૂર્વ જ ભારતમાં 24 માર્ચ 1971 પહેલાંથી રહેતા આવ્યા છે.
  • 24 માર્ચ 1971 બાદ અસમમાં આવેલા બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવશે.
⚠️ નોંધ:-
  1. ભારતમાં 1951ની વસ્તી ગણતરી પછી ભારતના તમામ રાજ્યોમાં વસ્તી ગણતરીની આધારે NRCની એક યાદી તૈયાર કરવામાં આવી હતી
  2. અસમમાં NRCને (રાજ્યના નાગરિકોની યાદીને) સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ અપડેટ કરવામાં આવી રહી છે.
  3. નાગરિકોની ઓળખને આધારે NRCની યાદી અપડેટ કરનાર અસમ દેશનું પ્રથમ રાજ્ય છે.
💢વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 500 શહેરોની WHOની યાદી જાહેર :-
  • WHO દ્વારા તાજેતરમાં વિશ્વના સૌથી વધુ વાયુ પ્રદૂષિત 500 શહેરોની એક યાદી જાહેર કરવામાં આવી છે.
  • કુલ 91 દેશોના 2700 નગરો અને શહેરોમાંથી વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 500 શહેરોની આ યાદી તૈયાર કરવામાં આવી છે.
  • આ યાદીમાં વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરોમાં ભારતના કુલ 14 શહેરોનો સમાવેશ થયો છે.
  • જેમાં ભારતનું કાનપુર આ યાદીમાં પ્રથમ ક્રમે છે.
વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરો 

ક્રમશહેરદેશ
1
કાનપુર
ભારત
2
ફરીદાબાદ
ભારત
3
ગયા
ભારત
4
વારાણસી
ભારત
5
પટના
ભારત
6
દિલ્હી
ભારત
7
લખનૌ
ભારત
8
બમેન્ડા
કેમેરૂન
9
આગ્રા
ભારત
10
ગુડગાંવ
ભારત
11
મુઝફ્ફરપુર
ભારત
12
શ્રીનગર
ભારત
13
પેશાવર
ભારત
14
રાવલપિંડી
ભારત
15
જયપુર
ભારત
16
કમ્પાલા
ભારત
17
પટિયાલા
ભારત
18
જોધપુર
ભારત
19
નારાયણગંજ
બાંગ્લાદેશ
20
બોડિંગ
ચીન

⚠️ નોંધ:-
  1. આ યાદીમાં વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 10 શહેરોમાં ભારતના 9 શહેરોનો સમાવેશ થયો છે.
  2. આ યાદીમાં ગુજરાતનું અમદાવાદ 89માં ક્રમે છે.
  3. આ યાદીમાં પોલેન્ડનું કાલીસ(kalisz) અંતિમ 500માં ક્રમે છે.
  4. WHOના અંદાજ અનુસાર વિશ્વમાં 90 ટકા લોકો પ્રદૂષિત હવા શ્વાસમાં લે છે. આને લીધે હવાના પ્રદુષણને કારણે દર વર્ષે થતાં મરણનો આંક વધી રહ્યો છે.
★WHOનું પૂરું નામ' World Helth Organization' છે.
  • તેની સ્થાપના 7 એપ્રિલ,1948ના રોજ થઈ હતી.
  • તેનું વડું મથક સ્વિત્ઝર્લેન્ડના જીનેવા ખાતે આવેલું છે.
  • તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના લોકોનું આરોગ્યનું સ્તર ઊંચું લાવવાનો છે.
  • WHOએ યુનાઇટેડ નેશન્સની એક વિશિષ્ટ એજન્સી છે.

💢દેવભૂમી દ્વારકા જિલ્લામાં 'કાન્હાનું કામ, દૂધનું દાન' યોજનાનો શુભારંભ
  • દેવભૂમી દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુપોષિત બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા અને જિલ્લાના તમામ બાળકોને તંદુરસ્ત બનાવવા માટે 'કાન્હાનું કામ, દૂધનું દાન' નામની એક યોજના બનાવવામાં આવી છે.
  • જેનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દ્વારકા ખાતેથી શુભારંભ કરાવ્યો છે.
🎊 યોજનાની વિશેષતાઓ 🎊
  • આ યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ ગામોની ખાનગી તથા સહકારી દૂધ મંડળીઓમાં એક એક અક્ષયપાત્ર મુકવામાં આવશે
  • જે કોઈ વ્યક્તિ દૂધ મંડળીમાં દૂધ જમા કરાવવા આવશે તેઓ આ અક્ષયપાત્રમાં યથાયોગ્ય માત્રામાં દૂધ આપી દૂધનું દાન કરશે.
  • આ રીતે ભેગા થયેલા દૂધનું તે જ ગામની આંગણવાડીના તમામ બાળકોને વિતરણ કરવામાં આવશે.
💢 RBI મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં વ્યાજદર 0.25 ટકાનો વધારો :-
★ RBI ગવર્નર શ્રી ઉર્જિત પટેલની નેતૃત્વવાળી મોનિટરી પોલિસી કમિટી બેઠકમાં વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
  • આ અંતર્ગત રેપોરેટ 0.25 ટકા વધીને 6.50 ટકા થઈ ગયો છે.
  • રિવર્સ રેપો રેટ પણ 0.25 ટકા વધીને 6.25 ટકા થઈ ગયો છે.
  • આ ઉપરાંત માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ પણ 0.25 ટકા વધારીને 6.75 ટકા કરવામાં આવ્યો છે.
-: RBIની નાણાકીય નીતિની સમીક્ષાના મહત્વના મુદ્દા :-
  • રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને MSF રેટમાં 0.25 ટકાનો વધારો.
  • એપ્રિલથી સપ્ટેમ્બર 2018 સુધીના સમયગાળામાં ભારતનો GDP 7.5 થી 7.6 ટકા રહેવાનો અંદાજ.
  • 2018-19ના સમગ્ર નાણાકીય વર્ષ દરમ્યાન ભારતનો GDP 7.4 ટકા રહેવાનો અંદાજ.
  • ચાલુ નાણાકીય વર્ષમાં ઓકટોબરથી માર્ચ સુધીના સમયગાળામાં ફુગાવો (Inflation) 4.8 ટકા રહેવાનો અંદાજ.
⚠️ નોંધ:-
  1. મોનિટરી પોલિસી કમિટીના 6 સભ્યો પૈકી 5 સભ્યો રેપો રેટ વધારવાની ભલામણ કરી હતી.
  2. વ્યાજદરોની સમીક્ષા માટેની આગામી બેઠક 3 ઓક્ટોબર,2018ના રોજ યોજાશે.
  3. RBI મોંઘવારીને અંકુશમાં રાખવા માટે રેપો રેટમાં વધારો કરે છે.
  4. રેપો રેટમાં વધારો થતાં બેંકોને RBI પાસેથી ઊંચા દરે લૉન મળતા તે ગ્રાહકોને ઊંચા દરે લૉન આપે છે. આથી લૉન મોંઘી બને છે.
    રેપો રેટ : રિઝર્વ બેંક જે દરે અન્ય બેંકોને ધિરાણ કરે છે તે દરને રેપો રેટ કહે છે.
    રિવર્સ રેપો રેટ : રિઝર્વ બેંક અન્ય બેંકો પાસેથી જે દરે ધિરાણ લે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે.
    MSF RATE : MSF RATEનું પૂરું નામ 'Marginal Standing Facility Rate' છે.
    CRR : CRRનું  પૂરું નામ 'Cash Reserve Ratio' છે.
    SLR : SLRનું પૂરું નામ 'Standing Liquidity Ratio' છે.

💢 ભારતીય મૂળના શ્રી અક્ષય વેંકટેંશને ગણિતનો સર્વોચ્ચ 'ફિલ્ડ્સ એવોર્ડ' એનાયત
  • ગણિતના સર્વોચ્ચ એવોર્ડ તરીકે ઓળખાતા 'ફિલ્ડ્સ મેડલ' માટે ભારતીય મૂળના ગણિતજ્ઞ શ્રી અક્ષય વેંકટેંશની પસંદગી કરવામાં આવી છે.
  • 'ફિલ્ડ્સ મેડલ' પુરસ્કાર અત્યંત પ્રતિષ્ઠિત છે અને તે ગણિતશાસ્ત્રનો નોબેલ પ્રાઈઝ ગણાય છે.
-: ફિલ્ડ્સ મેડલ એવોર્ડ કોના દ્વારા એનાયત થાય છે? :-
  • ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન (IMU) દ્વારા આ પુરસ્કાર એનાયત થાય છે
  • ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન (IMU) ની ઇન્ટરનેશનલ કોંગ્રેસની બેઠક દર ચાર વર્ષે મળે છે.
  • આ બેઠકમાં દર ચાર વર્ષે 40 વર્ષથી ઓછી ઉંમરના બે, ત્રણ કે ચાર ગણિતશાસ્ત્રીઓને આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
  • આ અંતર્ગત વર્ષ 2018માં નવી દિલ્હી ખાતે જન્મેલા ઓસ્ટ્રેલિયન ગણિતશાસ્ત્રી શ્રી અક્ષય વેંકટેંશ સહિત કુલ ચાર વ્યક્તિઓને આ પુરસ્કાર એનાયત થયો છે.
ક્રમગણિતશાસ્ત્રીદેશ
1
શ્રી અક્ષય વેંકટેંશ
ઓસ્ટ્રેલિયા
2
શ્રી પીટર સ્કોલઝ
જર્મની
3
શ્રી કુચર બિરકર
ઈરાન(હાલ બ્રિટનમાં નિવાસ)
4
શ્રી એલ્સિઓ ફિગાલી
ઇટાલી
⚠️ નોંધ :-
  1. કેનેડાના ગણિતશાસ્ત્રી શ્રી જોન ચાર્લ્સ ફિલ્ડ્સની યાદમાં આ એવોર્ડનું નામ 'ફિલ્ડ્સ મેડલ'  રાખવામાં આવ્યું છે.
  2. આ એવોર્ડનો પ્રારંભ 1936માં થયો હતો અને 1950 બાદ આ એવોર્ડ દર ચાર વર્ષે એનાયત થાય છે.
  3. આ એવોર્ડ અંતર્ગત વર્ષ 2006થી 15000 કેનેડિયન ડોલરની રકમ પુરસ્કાર તરીકે આપવામાં આવે છે.
  4. આ અગાઉ વર્ષ 2014માં ભારતીય મૂળના ગણિતશાસ્ત્રી શ્રી મંજુલ ભાર્ગવને આ પુરસ્કાર એનાયત થયો હતો.
-: PASSPORT INDEX 2018 :-

💢પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ Global Passport Power Rank 2018માં ભારત 68માં ક્રમે છે.
  • આ ઈન્ડેક્સમાં સિંગાપોર સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે
  • આ ઈન્ડેક્સ અનુસાર વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ સિંગાપોરનો છે.
  • સિંગાપોરના નાગરિકો માત્ર પાસપોર્ટના આધારે વિશ્વના 127 દેશોમાં વગર વિઝાએ મુસાફરી કરી શકે છે.
  • ભારતના નાગરિકો પાસપોર્ટના આધારે વિશ્વના 25 દેશોમાં વગર વિઝાએ મુસાફરી કરી શકે છે.
  • આ ઉપરાંત ભારતના નાગરિકો નેપાળ અને ભૂટાનમાં પાસપોર્ટ વગર પ્રવેશ કરી શકે છે.
  • આ ઇન્ડેક્સમાં અફઘાનિસ્તાન અંતિમ 92માં ક્રમે છે.
Global Power Rank 2018 
RankCountryVF Score
1
સિંગાપોર
166
2
જર્મની,ડેનમાર્ક,સ્વીડન,ફિનલેન્ડ,લકઝમબર્ગ,નોર્વે,નેધરલેન્ડ,સાઉથ કોરિયા,અમેરિકા
165
3
ઇટાલી,ફ્રાન્સ,સ્પેન,ગ્રીસ,પોર્ટુગલ,જાપાન,આયર્લેન્ડ,કેનેડા
164
58
ચીન,બોટ્સવાના
77
68
ભારત,મોરક્કો
65
90
પાકિસ્તાન
36
91
ઈરાન
33
92
અફઘાનિસ્તાન
30

💢વર્ષ 2018ના રેમન મૅગ્સેસે એવોર્ડ માટે તાજેતરમાં કુલ છ વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે.
  • આ છ વ્યક્તિઓમાં ભારતના બે મહાનુભાવો શ્રી સોનમ વાંગ્ચુક અને  શ્રી ભરત વાટવાનીનો સમાવેશ થયો છે.
  • શ્રી સોનમ વાંગ્ચુક લદાખના એક શિક્ષક છે અને તેમના પ્રકૃતિ, સંસ્કૃતિ અને શિક્ષણમાં પ્રદાન માટે તેમને આ એવોર્ડ એનાયત થયો છે.
  • જ્યારે શ્રી ભરત વાટવાની મુંબઈમાં ફૂટપાથ પર રહેતા માનસિક રીતે બીમાર લોકો માટે કામ કરતા એક મનો વૈજ્ઞાનિક છે. આથી તેમને આરોગ્યના ક્ષેત્રમાં તેમના આ પ્રદાન બદલ આ પુરસ્કાર એનાયત થયો છે.
રોમન મૅગ્સેસે એવોર્ડ વિજેતા 2018 
ક્રમવિજેતાદેશ
1
શ્રી સોનમ વાંગ્ચુક
ભારત
2
શ્રી ભરત વાટવાની
ભારત
3
શ્રી યુક છાંગ
કંબોડિયા
4
શ્રી હોવર્ડ ડી
ફિલિપાઈન્સ
5
શ્રીમતી વો થી હોંગ યેન
વિયેતનામ
6
શ્રીમતી મારિયા ડી લોર્ડેસ માર્ટિન્સ ક્રુઝ
પૂર્વ તિમોર

🎊રેમન મૅગ્સેસે એવોર્ડ🎊

★રેમન મૅગ્સેસે એવોર્ડ એશિયાનો સૌથી વધુ પ્રતિષ્ઠિત અને સર્વોચ્ચ એવોર્ડ છે. તેને એશિયાનો 'નોબેલ પુરસ્કાર ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • ફિલિપાઇન્સના સાતમા રાષ્ટ્રપતિ શ્રી રેમન મૅગ્સેસેની યાદમાં ફિલિપાઇન્સ સરકાર દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
  • આ એવોર્ડનો પ્રારંભ 1958થી થયો હતો.
  • રેમન મૅગ્સેસે એવોર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા આ વાર્ષિક પુરસ્કારના વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે.
  • આ એવોર્ડ અગાઉ છ કેટેગરીમાં આપવામાં આવતો હતો. જેમાંથી Emergent Ledership સિવાયની પાંચ કેટેગરી 2009થી બંધ કરવામાં આવી છે.
⚠️ નોંધ :-
  1. રેમન મૅગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય શ્રી વિનોબા ભાવે છે.
  2. રેમન મૅગ્સેસે એવૉર્ડ સૌપ્રથમ 1958માં એનાયત થયો હતો અને એ વર્ષે કુલ છ વ્યક્તિઓની આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભારતના શ્રી વિનોબા ભાવેનો પણ સમાવેશ થયો હતો.
  3. શ્રી વિનોબા ભાવોને 1958માં કોમ્યુનિટી લીડરશીપની કેટેગરીમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Comments

Popular posts from this blog

ગુજરાતની મુલાકાતે આવેલા 15માં નાણાંપંચ વિશે થોડું જાણીએ.

Mangadh: A hidden history of India

ગુજરાતના ખેલાડીઓ અને તેમની રમત