Posts

Showing posts from August, 2018

Current affairs of this week

આર્થીક અપરાધો રોકવા માટે. 'ભાગેડુ આર્થિક અપરાધી બીલ - 2018' ને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી. જે લોકો કરોડો ની લૉન લઇ ને વિદેશ જતા રહેતા તેઓ આ બીલ મુજબ હવે નહીં બચી શકે. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ ચીન ના નેનજીંગ  ખાતે આયોજન થયું હતું.  આ ચેમ્પિયનશીપમાં માં ફાઇનલ પી.વી. સિંધુ અને કેરોલીના મારીન  વચ્ચે રમાયો હતો. સ્પેન ની કેરોલીના મારિને ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે ભારત ની પી.વી સિંધુ એ સિલ્વર મેડલ જીત્યો. ભારતીય ગગનજીત ભુલ્લરે ગોલ્ફ માટે નું ફીજી ઇન્ટરનેશનલ ટાઇટલ જીત્યું . રાજ્ય ની મહિલા ઓ માટે તત્કાલ સુરક્ષા અને તત્કાલ મદદ માટે કામ કરતી અભયમ 181 ને સુધારા સાથે વિજયભાઈ રૂપાણી એ એપ લોન્ચ કરી. 6 ઓગસ્ટ હિરોશીમા દિવસ જાપાન ના હિરોશીમા શહેર પર અમેરિકા એ 6 ઓગષ્ટ 1945 ના રોજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વ માં પ્રથમ વાર અણુબોમ્બ નો હુમલો કર્યો.  આ હુમલા માં 1.4 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આ બૉમ્બ નું નામ લિટલ બૉમ્બ હતું. 7 ઓગસ્ટ રવીન્દ્રનાથ ટાગોર નો નિર્વાણ દિવસ. 1913 માં તેમને ગીતાજલી માટે સાહિત્ય નો નોબેલ પુરષ્કાર મળ્યો હતો. તેમણે...

Mangadh: A hidden history of India

Image
ઇતિહાસમાં દબાયેલી સૌથી મોટી કુરબાની ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર અરવલ્લી પર્વતમાળામાં દબાયેલી છે. આશરે 100 વર્ષ પહેલાં 17 નવેમ્બર,1913માં બનેલી આ ઘટના એક કરુણ આદિવાસી નરસંહાર હતો.  આ નરસંહાર 13 એપ્રિલ 1919માં પંજાબમાં થયેલા જલિયાવાલા બાગ નરસંહાર સાથે મેળ ખાય છે.જેમાં અંગ્રેજ જનરલ ડાયરના આદેશ પર પોલીસે 379 લોકોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા પરંતુ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોની વાત માનો તો માર્યા ગયેલા લોકોની સંખ્યા 1000થી વધારે હતી. જ્યારે માનગઢમાં ભીલોના મૌખિક ઇતિહાસ પર ભરોસો કરવામાં આવે તો માનગઢ ટેકરી પર અંગ્રેજ સેનાએ આદિવાસી નેતા અને સમાજ સુધારક ગોવિંદગુરુના 1500 સમર્થકોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. રાજસ્થાનના ડુંગરપુર પાસેના વેદસા ગામના વતની ગોવિંદગુરુ વણઝારા સમુદાયના હતા. તેમણે 19મી સદીના અંત ભાગમાં ભીલોના સશક્તિકરણ માટે 'ભગત આંદોલન' ચલાવ્યું હતું. જેનો મુખ્ય હેતુ ભીલોએ શાકાહાર અપનાવવો તેમજ દરેક પ્રકારના નશીલા પદાર્થોથી દૂર રહેવાનું હતું. ગોવિંદગુરુથી પ્રેરાઈને ભીલોએ અંગ્રેજોની દમનકારી નિતિઓનો અને વાંસવાડા, સંતરામપુર,ડુંગરપુર અને કુશળગઢ ના રજવાડાઓ દ્વારા જબરદસ્તી...

કાન્હાનું કામ, દૂધનું દાન યોજના, અસમમાં NRC ડ્રાફ્ટ, WHOની 500 પ્રદૂષિત શહેરોની યાદી, RBI મોનિટરી પોલિસી, ફિલ્ડ્સ એવોર્ડ, Passport Index,The Ramon Magsaysay Award વિશે ખૂબ જ અગત્યની માહિતી.

💢 અસમમાં NRCનો ફાઇનલ ડ્રાફ્ટ જાહેર  30જુલાઈ,2018 ના રોજ અસમ માં NRC નો ફાઇનલ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત આ ડ્રાફ્ટમાં આસામના 2કરોડ 89લાખ 83હજાર 677 લોકોને આસામના કાયદેસર ના નાગરિક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે 40લાખ 07હજાર 707 લોકોની નાગરિકતાને ગેરકાયદે જાહેર કરવામાં આવી છે. જોકે આ ડ્રાફ્ટમાં જે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેઓ ફોરનર્સ ટ્રીબ્યુનલ ને પોતાની ફરિયાદ કરી શકે છે. ★ NRC શુ છે? NRCનું પૂરું નામ 'નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સ' (National Register Of Citizens) છે. NRC એ રાજ્યના નાગરિકોની એક યાદી છે. તાજેતરમાં અસમમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓનો દેશનિકાલ કરવા માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત આસામમાં વસવાટ કરતા ગેરકાયદે બાંગ્લાદેશીઓની ઓળખ કરવા માટે NRCની એક યાદી તૈયાર કરવામાં આવી છે. અસમમાં રાજ્યના નાગરિકો દ્વારા પોતાની નાગરિકતા સાબિત કરવા NRCની યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા. જેમાં તેમણે એ સાબિત કરવાનું હતું કે તેઓ અથવા તેમના પૂર્વ જ ભારતમાં 24 માર્ચ 1971 પહેલાંથી રહેત...

ગુજરાતની મુલાકાતે આવેલા 15માં નાણાંપંચ વિશે થોડું જાણીએ.

તાજેતરમાં ગુજરાત ની મુલાકાતે આવેલા 15માં કેન્દ્રીય નાણાંપંચ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ઉપરાંત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ગાંધીનગર   ખાતે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 15માં કેન્દ્રીય નાણાંપંચ સમક્ષ ગુજરાતના આર્થિક સામાજિક વિકાસ તથા દેશના વિકાસમાં ગુજરાત સરકારના પ્રો-એક્ટિવ યોગદાન અંગે માહિતી આપી હતી અને આ નાણાંપંચને કેટલાક અગત્યના સૂચનો પણ કર્યા હતા. આ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે- દેશની કુલ જનસંખ્યાના 5 ટકા(%) આબાદી ધરાવતું ગુજરાત નેશનલ GDPમાં 7.6 ટકા નું યોગદાન આપે છે ભારતના આર્થિક સર્વેક્ષણના 2017-18 ના  અહેવાલો અનુસાર સેવાઓ અને વસ્તુઓની નિકાસ માં 17 ટકા   યોગદાન ગુજરાતે આપ્યું છે ગુજરાત રેવન્યુ સર પ્લસ રાજ્ય છે. 2016-17 દરમ્યાન ગુજરાતની ફિસ્કલ  ડેફિસીટ ઘટીને GSDP (Gross State Domestic Product) ના 1.42 ટકા થઈ ગઈ છે -: મુખ્યમંત્રીશ્રીના સૂચનો :-  મુખ્યમંત્રીશ્રી એ 15માં નાણાંપંચ સમક્ષ રાજ્યોને પરફોર્મન્સ બેઇઝડ પ્ર...

Current affairs of this week

મિત્રો કેટલાક કારણોસર હમણાં કોઈ માહિતી મુકી શક્યો ન હતો પરંતુ તમારા માટે આખા અઠવાડિયાનું કરેન્ટ અફેર્સ મુકવાનો એક નાનકડો પ્રયત્નો કર્યો છે જે તમને બધાને ગમશે એવી મને આશા છે.. 📌 સદી નું સૌથી મોટું ચન્દ્રગ્રહણ : 1 કલાક 43 મિનિટ ચન્દ્ર છુપાયેલો રહ્યો. જ્યારે ચંદ્રગ્રહણ 3 કલાક 53 મિનિટ ચાલ્યું. ◆ચન્દ્રગ્રહણ દરમ્યાન દરમ્યાન થતી એક ઘટના *બ્લડ મૂન*◆ ◆ *બ્લડ મૂન : ચન્દ્રગ્રહણ દરમ્યાન ચન્દ્ર પર પૃથ્વી ની ધરતી નો છાયો પડે છે. તેથી ચંદ્ર લાલાશ પડતો દેખાય છે. જેને બ્લડ મૂન કહેવાય છે.* ◆ આ ચંદ્રગ્રહણ માં બ્લડ મૂન ની ઘટના થોડી મિનિટો માટે થઈ હતી. 📌 28 જુલાઈ -  ગુજરાતી સાહિત્યકાર કે. કા. શાસ્ત્રી નો જન્મ દિવસ. ◆જન્મ :1905 માં  માંગરોળ ખાતે ◆ *પૂરું નામ : કેશવરામ કાશીરામ શાસ્ત્રી.* ◆ *ઉપનામ: વિદ્યા વાચસ્પતિ* 📌 *69મો વન મહોત્સવ* : રાજ્યકક્ષા ના વન મહોત્સવ ની ઉજવણી ભુજ ખાતે ના રુદ્રમાતા ડેમ ખાતે વિજય ભાઈ રૂપાણી ના હસ્તે કરાયી. ◆ આ વન નું નામ *રક્ષકવન* રખાયું. ◆રક્ષકવન : 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન ભુજના એરોડ્રમ ના રન-વે ને નુકશાન પહોંચેલ હતું. તેને માધાપર ગામની મહિલ...